Welcome to Kashtbhanjandev Temple Salangpur

પૂજા પાઠ વિધિ

શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર – સાળંગપુરધામ ખાતે ભુત, પ્રેત, આધી-વ્યાધી-ઉપાધીથી રક્ષા મેળવવા આવતા યાત્રાળુઓને ખાસ સુચના

પાસ મેળવવાનો સમય સવારનાં 06.30 થી 08.30 કલાક અને બપોરે 02.30 થી 04.30 કલાકનો રહેશે.
આ સમય સિવાય પાસ આપવામાં આવશે નહીં.

  • સૌપ્રથમ હનુમાનજી મંદિરનાં કાઉન્ટર ખાતે પાઠમાં બેસનાર વ્યકિતનું નામ લખાવી પાસ મેળવી લેવો, પાસ ફકત દર્દીનો જ આપવામાં આવશે.
  • સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન હોય તો પતિ-પત્ની બંનેનું નામ લખાવવું.
  • પાસ લઈ પાઠમાં બેસનાર વ્યકિતને હનુમાનજી મંદિરનાં પ્રસાદીનાં નારાયણકુંડમાં ફરજિયાત સ્નાન કરાવવું.
  • સ્ત્રી હોય તો માથું બરોબર સાફ કરી વાળ છુટા રાખવા.
  • પાઠનો સમય સવારે 08.00 કલાક અને બપોરે 04.00 કલાકનો રહેશે.
  • પાસ મેળવ્યા પછી વ્યકિતને હનુમાનજી મંદિરનાં કાઉન્ટર પરથી બતાવેલ જગ્યાએ સવારનાં 07.45 કલાકે અને બપોરનાં 03.45 કલાકે બેસાડી દેવા.
  • મંદિરમાં ભગત માંગે ત્યારે પાસ આપવો.
  • પૂજા પાઠની કોઈપણ વસ્તુ અગાઉથી લેવી નહીં. જયારે મહારાજ મંગાવે ત્યારે નામ લખાવ્યું હોય તે જ કાઉન્ટર પરથી લેવી.
  • મહારાજશ્રી જે રીતે પૂજાપાઠ કે માળાની વિધિ બતાવે તે શ્રદ્ધા અને વિશ્વાસથી કરવી.
  • મહારાજશ્રીએ આપેલ મુદત મુજબ સારૂ થાય એટલે નીચેના સરનામે મનીઓર્ડરથી માનતાનાં નાણા મોકલાવા.
  • મહારાજશ્રીએ રૂબરૂ આવી જવાનું કહયું હોય તો રૂબરૂ આવી જવું અને માનતા ધરી જવી.
  • મંદિરમાં આવતા દરેક ભાવિક હરિભકતોને નમ્ર વિનંતી કે મંદિરમાં પાઠની વિધિ ચાલુ હોય ત્યારે બિલકુલ શાંતિ જાળવવી.

 

ભુત, પ્રેત, આધી-વ્યાધી-ઉપાધીથી રક્ષા મેળવવા આવતા યાત્રાળુઓએ પૂજા-પાઠ અંગે માહિતી મેળવવા મંદિરનાં કાઉન્ટર પર અથવા અધિકૃત નંબર
+91 9825835304 / 05 / 06
પર સંપર્ક કરી શકે છે.