Welcome to Kashtbhanjandev Temple Salangpur

રાજોપચાર પૂજન

  • શ્રી સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે.
  • ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે.
  • જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે.

જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિતથાય છે.

  • ત્યાર બાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે.
  • જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતનાં સાધનો વડે સંગીત રજૂ કરવામાં આવે છે અને નર્તકો પણ નૃત્ય કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે.
  • વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે.
  • 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા પણ જોવાલાયક બની જાય છે.
  • આ રીતે રાજોપહાર પૂજા આવતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
  • રાજોપચારપૂજન પવિત્ર તહેવારો, તિથી કે ઉત્સવ દરમ્યાન ઉજવવામાં આવે છે.
  • ઘણી વખત ભક્તોના સંકલ્પ પ્રમાણે અનુકુળ તારીખોમાં પણ આ રાજોપચાર પૂજન કરવામાં આવે છે.

પૂર્ણિમા પૂજન

  • શ્રી સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવને પૂર્ણિમાના પવિત્ર દિવસે દિવ્ય અને ભવ્ય રીતે પૂર્ણિમા પૂજન (ષોડશોપચાર) કેવળ ને કેવળ શ્રી હનુમાનજી મહારાજની પ્રસન્નતા માટે આશીર્વાદ માટે કરવામાં આવે છે.
  • ષોડશોપચાર પદ્ધતિ પ્રમાણે પૂજા 16 ચરણોમાં કરવામાં આવે છે.
  • ⁠ભોજન, અર્ઘ્ય, આમચન, સ્નાન, વસ્ત્રો, આંતરવસ્ત્રો (યજ્ઞોપવીત અથવા પવિત્ર દોરો), આભૂષણો, સુગંધ, ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, સ્તુતિ, તર્પણ અને નમસ્કાર કરી શ્રી હનુમાનજી મહારાજની દિવ્નેય આરતી કરી દાદાને પ્રસન્ન કરવામાં આવે છે.
  • આ પૂજન અંદાજે ૧ કલાક સુધી ચાલે છે.
  • આ ષોડશોપચાર પૂજન શ્રી સાળંગપુર ધામમાં દર પૂર્ણિમાના દિવસે સાંજે ૬ થી ૭ વાગ્યા સુધી કરવામાં આવે છે. પૂજનના અંત ભાગમાં દાદા ની ભવ્ય રીતે સમૂહ સંધ્યા આરતી કરવામાં આવે છે.
  • આપ પણ આ પૂજનમાં યજમાન તરીકે લાભ લઇ દાદાની એવં સંતો ભક્તોની પ્રસન્નતા મેળવી શકો છો.

સમૂહ મારુતિ યજ્ઞ

  • ઘણા બધા ભક્તો શ્રી હનુમાનજી મહારાજનો યજ્ઞ એકી સાથે મળીને કરે છે તેને સમૂહ મારુતિ યજ્ઞ કહેવામાં આવે છે.
  • ભક્તો પોતાની મનોકામના, સંકલ્પ પૂર્તિ, દાદાની પ્રસન્નતા, મનની શાંતિ વગેરે પ્રયોજનથી સાળંગપુર ધામમાં થતા સમૂહ મારુતિ યોગ્યમાં ભાગ લે છે.
  • વર્ષમાં બે વાર થતાં આ સમૂહ મારુતિ યજ્ઞનો મહિમા અનેરો છે તેથી જ દાદાના ભક્તો વર્ષોથી આ સમૂહમાં જોડાઈ છે અને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે, પ્રાર્થના કરે છે અને એક અલગ જ આધ્યાત્મિક શક્તિ, આધ્યાત્મિક આનંદનો અનુભવ કરે છે.
  • સંતો એવં પવિત્ર ભૂદેવોના સાનિધ્યમાં યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
  • સમૂહમાં ભક્તો એક સાથે બેસી પ્રતિક રૂપે પોતાની સન્મુખ હનુમાનજી મહારાજને રાખી અને પૂજન, અર્ચન અને યજ્ઞ અને આહુતિ આપે છે અને મુખ્ય યજ્ઞ કુંડની અંદર યજ્ઞના મુખ્ય યજમાનો, સંતો અને ભૂદેવો આહુતિ આપે છે.
  • ત્યારબાદ સમૂહમાં શ્રી હનુમાનજી મહારાજનો અભિષેક થાય છે અને અંતમાં હનુમાનજી મહારાજના મુખ્ય યજ્ઞકુંડની અંદર બધા જ ભક્તો શ્રીફળ હોમી સમૂહયજ્ઞનું સમાપન કરે છે.
  • વર્ષમાં બે વખત એટલે કે પવિત્ર હનુમાન જયંતીના દિવસે ( ચૈત્ર સુદ પૂર્ણિમા ) એવં પવિત્ર કાળી ચૌદશના દિવસે શ્રી હનુમાનજી મહારાજનો સમૂહ યજ્ઞ ભવ્ય રીતે કરવામાં આવે છે.
  • સમૂહ યજ્ઞનો સમય : સવારે 7 થી બપોરે 12 સુધીનો હોય છે.
  • ભાઈઓ તથા બહેનો આ યજ્ઞમાં ભાગ લઈ શકે છે.
  • રજીસ્ટ્રેશન જે તે સમયે ૧૫ થી ૨૦ દિવસ પહેલાથી online અને offline કરવામાં આવે છે.

શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ

  • વર્ષ દરમિયાન પવિત્ર ચૈત્ર માસમાં, શ્રાવણ માસમાં અને ધનુર્માસમાં પવિત્ર બ્રાહ્મણોને રાખી શ્રી હનુમાન ચાલીસાના પાઠ સાથે યજ્ઞ કરવામાં આવે છે.
  • શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ કરી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવામાં આવે છે.
  • ઓનલાઇનના માધ્યમથી નિશ્ચિત રકમ પ્રમાણે યજ્ઞ નોંધવામાં આવે છે
  • જે તે દિવસનો લખાવેલી તારીખ પ્રમાણેનો યજ્ઞ પૂર્ણ થયા બાદ ઘર પર એડ્રેસ દ્વારા યજ્ઞ પ્રસાદ અને આશીર્વાદ પત્ર પહોંચાડવામાં આવે છે।
  • વર્ષ દરમિયાન પવિત્ર ચૈત્ર, શ્રાવણ માસ અને ધનુર્માસમાં યજ્ઞ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે.

શ્રી મારુતિ યજ્ઞ

  • સાળંગપુર ધામ દાદાના દરબારમાં શ્રી મારૂતિ યજ્ઞ કરી અને વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે સંકલ્પની પૂર્તિ થાય છે અને શ્રી હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય છે.
  • વર્ષ દરમિયાન કોઈ પણ સમયે દાદાના ભક્તો આ મારુતિ યજ્ઞ કરી સાળંગપુર વાસી શ્રી કષ્ટભંજન દેવને પ્રસન્ન કરતા રહે છે
  • વ્યક્તિની મનોકામના એવમ વ્યવહારિક કે પારિવારિક સંકલ્પની પૂરતી અર્થે અથવા સંકલ્પની પૂર્તિ થયા બાદ સાળંગપુર ધામમાં દાદાના દરબારમાં પરિવાર સાથે મળી અને દોઢ દિવસ અથવા એક દિવસનો મારુતિ યોગ્ય કરવામાં આવે છે.
  • ⁠મારુતિ યજ્ઞ જે કોઈ ભક્તોએ કરવો હોય એમણે સારંગપુર ધામમાં સૌપ્રથમ ઘણા સમય પહેલા નોંધાવો જરૂરી છે. ત્યારબાદ પ્રાપ્ત થયેલી વાર તિથિ અને સમય પ્રમાણે આપને યજ્ઞ કરવાની મંજૂરી સંસ્થામાંથી આપવામાં આવે છે.
  • યજ્ઞ દરમિયાન સંસ્થા દ્વારા આપની યજ્ઞ કરવાની, રહેવાની અને ભોજનની વ્યવસ્થા સુપેરે કરવામાં આવે છે.
  • વર્ષ દરમિયાન કોઈપણ તારીખ કે તિથિમાં આ યજ્ઞ કરી શકાય છે.

તેલ અભિષેક

  • મનોકામના પૂર્ણ કરવા માટે, માનેલી માનતા પૂર્ણ કરવા માટે અને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે શ્રી હનુમાનજીના વિગ્રહને તેલ ચઢાવવામાં આવે છે અને એનો મહિમા લાખો વર્ષોથી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં લખાયેલો, અભિવ્યક્ત કરાયેલ છે.
  • સાળંગપુર ધામમાં હનુમાનજી મહારાજને પણ લોકો ઘરેથી તેલ લાવીને ચડાવે છે યા મંદિરમાંથી પણ રસીદ મેળવીને તેલ ચઢાવી શકાય છે.
  • ⁠કોઈપણ તિથિ, વાર અને કોઈપણ સમયે હનુમાનજી મહારાજને તેલ ચઢાવી શકાય છે.

શ્રી ફળ

  • મનોકામના પૂર્ણ કરવા માટે, માનેલી માનતા પૂર્ણ કરવા માટે અને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે શ્રી હનુમાનજીને શ્રી ફળ ધરાવવામાં આવે છે. એનો મહિમા લાખો વર્ષોથી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં લખાયેલો, અભિવ્યક્ત કરાયેલ છે.
  • સાળંગપુર ધામમાં હનુમાનજી મહારાજને લોકો ઘરેથી શ્રી ફળ લાવીને ધરાવે છે અથવા તો મંદિરમાંથી પણ રસીદ મેળવીને શ્રી ફળ ધરાવી શકાય છે.
  • ⁠કોઈપણ તિથિ, વાર અને કોઈપણ સમયે હનુમાનજી મહારાજને શ્રી ફળ ધરાવી શકાય છે.

સુખડીની માનતા

  • મનોકામના પૂર્ણ કરવા માટે, માનેલી માનતા પૂર્ણ કરવા માટે અને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે શ્રી હનુમાનજીને સુખડી ધરાવવામાં આવે છે. એનો મહિમા લાખો વર્ષોથી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં લખાયેલો, અભિવ્યક્ત કરાયેલ છે.
  • સાળંગપુર ધામમાં હનુમાનજી મહારાજને લોકો ઘરેથી સુખડી બનાવીને ધરાવે છે અથવા તો મંદિરમાંથી પણ રસીદ મેળવીને સુખડી ધરાવી શકાય છે.
  • ⁠કોઈપણ તિથિ, વાર અને કોઈપણ સમયે હનુમાનજી મહારાજને સુખડી ધરાવી શકાય છે.

કોઈ ચોક્કસ તિથિ, પ્રસંગ, ઉત્સવ કે વિશિષ્ટ દિન પર મારુતિ યજ્ઞ, ચાલીસા યજ્ઞ કે સમૂહ યજ્ઞ કરવા ઈચ્છતાં ભાવિક ભક્તો મંદિરનાં કાઉન્ટર પર અથવા અધિકૃત નંબર +91 9825835304 / 05 / 06 પર સંપર્ક કરી શકે છે.